Sunday, April 29, 2012

શ્રદ્ધા


ભર્યા વાદળને ક્યાં વરસવું એ બતાવ તું,
હોય ઉપવન કોઈ તરસતું એ બતાવ તું.

જો રોમે રોમ થી છલકાઇ શ્રદ્ધા મારી,
દેવ થઈ પાણાને પ્રગટવું એ બતાવ તું.

પ્રગટ હે સાત આસમાનના સ્વામી હવે,
મારે ક્યાં સુધી સળગવું એ બતાવ તું.

- સુકેશ પરીખ (૨૩/૦૪/૨૦૧૨)

No comments: